આમ પન્ના બનાવવા માટે એક કુકર માં ૨ કપ પાણીનાખી અને કરી ની ડાળી વારા ભાગ કાઢી ને સ્વાદ મુજબ મીઠું નાખીને ૨ સિટી સુધી બાફી લો.
બફાઈ જાય પછી કેરી ની છાલ અને ગોટલી નીકાળી પલ્પ અલગ કરી લો.
હવે એક કડાઈમાં જીરૂ, એલચી, કાળા મરી નાખી સેકી લઈ એક વાટકીમાં તૈયાર રાખો.
એક વાટકી માં ૧ ચમચો વરિયાળી લઈ એમાં પાણી નાખી૧૦ મિનિટ પલાળવા મૂકો.
એક મિક્સર જારમાં સેકલું જીરૂ, એલચી, કાળા મરી નાખી એક વાર પીસી લો.પછી તેમાં કેરી નો પલ્પ, મીઠું,પલાળેલી વરિયાળી, છોલી ને સમારેલું આદુ, નાખી મિક્સર જારમાં બીજી વાર પીસી લો.
હવે એજ મિક્સર જારમાં તમે સંચર મીઠું ખાંડ ફુદીનો નાખી ફરી પીસી લો.
આ મિશ્રણ તમે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી ને મૂકી સકો છો.
હવે જ્યારે આમ પન્ના બનાવવો હોય ત્યારે એક ગ્લાસમાં ૨-૩ ચમચી આ મિશ્રણ લઈ તેમાં બરફ અને પાણીનાખી હલાવી લો.
તૈયાર છે મસ્ત ખાટ્ટોમીઠો ને ઠંડો આમ પન્ના.